Saturday, August 30, 2014

We are Learners Club

On 4th August we had established Club named "We Are Learners Club" short form is WALC. 

We are 3rd year engineering college students so it is very important for us that when we passed out from the college in year 2016, we have technical skills and knowledge of various steps involved in recruitment process of company.  So we should learn QA,GD etc. and should be able to crack gate questions. For this reason me and my friend Harshit khoda decided to make a club for this purpose.

Objectives for our Group is:
  • To learn Quantitative aptitude questions
  • To learn English
  • Practice G.D. as interview point of view
  • Share motivational quotes and to build confidence in eachother
  • Visit industries to gain practical knowledge
We decided that for Quality, only 8 person will join this club. We All members are students but each of us is assigned with some departments and we help each other in learning of engineering skills.

Departments of each member:-



  • Shrutam Jani: 
  1. Quantitative Aptitude Teaching
  2. Website handler 
  • Chirag Tilava ( Club Leader)
  1. Planning of industrial Visit
  2. project planning
  • Harshit Khoda
  1. preparation for Gate
  • Vivek Dhameliya
  1. Technology & Automobiles 
  2. Job Research
  • Ankit Gohel
  1. English Improvement
  2. Vocabulary Builder
  • Vishavarajsinh Zala
  1. G.D & Interview Cracker
  • Bhargav Khadela
  1. G.K & Current Affairs
  • Malay Mathukiya
  1. Description of any company, CEO,Product,Service.

I had made website for our club: WALC



Saturday, July 19, 2014

Gujarati Blogs, which you should read...

Lately I have started reading blogs written in Gujarati language. Earlier people could not have believed that there can be space for regional blogs to grow on internet. But guess It is all about content and not the language.

So I am listing out some Gujarati blogs based on different types of content. You will find information on various topics on these blogs. Trust me these blogs are interesting. Authors of these blogs are well known among gujarati newspaper readers.


Harshal Pushkarna's 'Ek Najar Aa taraf'
Heading Harshal Publications, and working as an editor of ‘Safari’ monthly.

'Planet JV' - Jay Vasavda's Blog
Jay Vasavda is popular Gujarati writer and columinst. His columns 'anavrut' and 'spectrometer'are published in gujarati daily 'Gujarat Samachar'on wednesday and sunday suppilemnts respectively.

'Good chhe' by Adhir Amdavadi
Adhir amdavadi is ahmedabad based civil engineer. He writes a column 'Lat ni lat ne vat ni vat'in World's First Gujarati News paper Mumbai Samachar. He also writes a column 'Hasya Mev Jayate' in gujarati magazine Abhiyan. His humorous work also gets published on www.divyabhashkar.com

Kinner Acharya
Hailing from Rajkot, Kinner acharya writes for Sandesh and Akila daily.

Urvish Kothari's 'Gujarati World'
Urvish Kothari writes analytical, informative & satirical-humorous pieces in Gujarat Samachar thrice a week.


Thanks to Google transliteration services and such other tools it has become easy to write in regional languages. There are number of good blogs written regional languages by people like you and me. Of all Gujarati blogs I have come across till date, these are some of the very informative blogs which I wanted to share with you. There are much more & Promise to there in my next blog post 'Gujarati Blogs which you should read- 2'.

I would also like to read  your suggestion, so please comment and share your opinion with others. Please, Don't use abusive language.  



Note :
- 'Random' Method used to put the blogs in this list.
- I don't endorse each and every thought shared by mentioned bloggers on their respective blogs

Monday, June 23, 2014

‌દિલ્‍લીમાં નવી ‌ગિલ્‍લી એ ખેલવા જેવો પહેલો દાવ : શસ્‍ત્રોનું નવીનીકરણ

ઓગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજોએ ભારતમાંથી હંમેશ માટે વિદાય લીધી ત્યારે લગભગ ૩૨ લાખ ચોરસ કિલોમીટરનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આપણા દેશના લશ્કરી સંરક્ષણ માટે તેઓ પરચૂરણ શસ્ત્રો મૂકતા ગયા હતા. ભારતીય ખુશ્કીદળને તેમણે પ્રથમ વિશ્વયુદ્ધના સમયની .૩૦૩ એન્ફિલ્ડ રાઇફલો, કેટલીક જૂનવાણી સબ-મશીનગન તથા ૨૫ રતલી ગોળા ફેંકી શકતી 25-Pounder કહેવાતી તોપો આપી હતી. હવાઇદળને વાપીતી અને ડાકોટા પ્રકારનાં વિમાનો સુપરત કર્યાં હતાં, તો નૌકાદળને અડધો ડઝન મનવારો સોંપી હતી. ઉપરાંત મોર્ટાર અને પેટ્રોલ બોટ જેવાં થોડાંક આચરકૂચર શસ્ત્રો હતાં, જેમના વડે કદી યુદ્ધ જીતી શકાય નહિ. ભારતનો શસ્ત્રભંડાર કંગાળ હતો, છતાં એ બાબતે તત્કાલીન વડા પ્રધાન પંડિત નેહરુ ગાફેલ રહ્યા. શસ્ત્રોના આધુનિકરણમાં તેમણે બિલકુલ રસ ન દાખવ્યો. છેવટે શસ્ત્રોનો પ્રશ્ન આપમેળે જ નેહરુનું ધ્યાન ખેંચનારો બન્યો. પાકિસ્તાને ઓક્ટોબર, ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતીય જવાનો પાસે એ જમાના પ્રમાણે લાકડાની તલવાર જેવાં શસ્ત્રો હતાં. પહાડી મોરચે ખેલાયેલા એ યુદ્ધે અનેક જવાનોનો ભોગ લીધો અને તે બલિદાનો સાથે ભારતે કાશ્મીરનો લગભગ પોણો લાખ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ ગુમાવ્યો. યુદ્ધની શુભ અસર જોવા મળી હોય તો એટલી કે નેહરુ સરકારે લશ્કરની ત્રણેય પાંખો માટે આધુનિક શસ્ત્રો આયાતી ધોરણે વસાવવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. દેશનું સંરક્ષણ બજેટ વધારી દેવામાં આવ્યું.

આ નિર્ણયના પગલે થયું એવું કે પશ્ચિમી દેશો બીજા વિશ્વયુદ્ધ પછી તેમનાં વધી પડેલાં શસ્ત્રો ગમે તેમ કરી ભારતને પધરાવી દેવા માટે તત્પર બન્યા. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ વગેરેએ પોતાના ચલતા પુરજાછાપ સેલ્સમેનોને નવી દિલ્હી ખાતે નીમી દીધા. ડિફેન્સ ટેક્નોલોજિના ક્ષેત્રે ભારતના રાજકર્તાઓનું જ્ઞાન બિલકુલ શૂન્ય હતું, જેનો શસ્ત્રોના સેલ્સમેનોએ બરાબર લાભ લીધો. છેવટે શસ્ત્રોના લગભગ દરેક સોદામાં પરદેશી શસ્ત્રઉત્પાદકો ખાટી ગયા અને ભારત ખોટમાં ગયું. આવો ક્રમ ભારતના દુર્ભાગ્યે લાંબો ચાલ્યો. દરમ્યાન શસ્ત્રખરીદીમાં જે કૌભાંડો (દા.ત. બોફર્સ તોપનું કટકી કૌભાંડ) થયા તે રાજકીય મુદ્દા બન્યા અને શસ્ત્રાગારના આધુનિકરણ માટે અડચણરૂપ પણ બન્યા.
પા‌કિસ્‍તાન સામે કાર‌ગિલ યુદ્ધમાં ભારતની બોફર્સ તોપોઅે પોતાનો ફાયરબ્રાન્ડ ‌મિજાજ દુશ્મનને બતાવ્‍યો હતો. ૧૯૮૦ના દસકામાં ખરીદાયેલી અે તોપો આજે ખુશ્‍કીદળ માટે જૂનવાણી સાબિત થઇ રહી છે.
આનું પરિણામ આજે નજર સમક્ષ છે. ભારતના શસ્ત્રાગારની સ્થિતિ વધુ-ઓછા અંશે ઓગસ્ટ, ૧૯૪૭માં હતી તેવી છે. આપણાં ઘણાંખરાં શસ્ત્રો પોતાની ટેક્નોલોજિકલ આવરદા વટાવી ગયાં છે. ભૂતપૂર્વ ખુશ્કી સેનાપતિ જનરલ વી. કે. સિંહે જણાવ્યું હતું તેમ આપણો ૯૭% શસ્ત્રભંડાર બિલકુલ આઉટડેટેડ છે. આ આંકડો ટાંકવામાં તેમણે લગીરે અતિશયોક્તિ કરી હોય એમ જણાતું નથી. આનું કારણ છે . એક તરફ આપણે સ્વદેશી ટેક્નોલોજિ વડે આધુનિક શસ્ત્રો સમયસર અને પૂરતી સંખ્યામાં બનાવી શક્યા નથી, તો બીજી તરફ અદ્યતન પ્રકારનાં આયાતી શસ્ત્રોની ખરીદી માટે પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવતું નથી. અમેરિકા તેના GDP/રાષ્ટ્રીય ઘરેલુ ઉત્પાદનના ૪.૯% જેટલી માતબર રકમ ડિફેન્સના નામે ખર્ચી નાખે છે. ચીનને લગતો બિનસત્તાવાર આંકડો ૩.૨% છે. ભારતે ચાલુ વર્ષે GDPના માત્ર ૧.૭૪% જેટલું બજેટ દેશના સંરક્ષણ માટે ફાળવ્યું છે. આવી કંજૂસાઇનો કશો અર્થ ખરો ? ખાસ કરીને એવે વખતે કે જ્યારે અરુણાચલ પ્રદેશના મુદ્દે ચીનનું વલણ પ્રતિદિન આક્રમક બનતું જાય છે અને સાથોસાથ તેની લશ્કરી આક્રમણશક્તિ સતત વધતી જાય છે. ચીનના મગજનો ચડી રહેલો પારો જોતાં ભારતે જો ૧૯૬૨ના યુદ્ધ જેવી નામોશી ટાળવી હોય તો જરાય વખત ગુમાવ્યા વગર ત્રણેય લશ્કરી દળોને રીતસર યુદ્ધના ધોરણે શસ્ત્રસજ્જ કરવાં જોઇએ.

આ માટે નવી સરકારે સૌ પહેલાં તો દેશનું સંરક્ષણ બજેટ વધારી દેવાની જરૂર છે. બીજું કરવા જેવું કામ એ કે અત્યાર સુધી શસ્ત્રોના દરેક સોદા ભારતની ભૂતપૂર્વ સરકારોએ વિદેશી સપ્લાયર કંપનીની શરતોને (તેમજ અમુક કેસોમાં દાદાગીરીને) આધિન થઇને પાર પાડ્યા છે. હવે નવી સરકારે કડક પોલિટિકલ વલણ અપનાવી દરેક સોદો ભારતની તરફેણમાં થાય અને સોદાની કામગીરી વિલંબિત તાલમાં ન ચાલે એ જોવું રહ્યું. ત્રીજું, આયાતી શસ્ત્રો પર પૂરેપૂરો મદાર રાખવાને બદલે સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજિને પ્રોત્સાહન આપી તેજસ વિમાન, આકાશ, પૃથ્વી અને અગ્નિ મિસાઇલો, અર્જુન રણગાડી વગેરે પ્રોજેક્ટસ તાકીદે પાર પાડવા જોઇએ. 

સાડા છ કરોડ વર્ષ પહેલાં વિનાશકારી લઘુગ્રહની પછડાટે પૃથ્વી પર ડાયનોસોરના ૧૬ કરોડ વર્ષ લાંબા એકચક્રી શાસનનો એક જ સપાટે અંત આણી દીધો હતો. કંઇક એવી જ ઘટના છેક ૧૯૪૭થી એકચક્રી શાસનમાં જકડાઇ ગયેલા ભારતના રાજકારણમાં મે ૧૬, ૨૦૧૪ ના રોજ બની. આશા રાખીએ કે તે ઘટના ‘યુગપરિવર્તક’ સાબિત થાય અને ભારત તેના પડોશી દુશ્મનો સામે બાંયો ચડાવવાનું લશ્કરી તેમજ નૈતિક બળ દાખવે.

Saturday, May 24, 2014

13 rumoured haunted places

   I take a look at some haunted locations across the globe, some of which you will most likely of heard of, and some of which you may have not.

1.)Raynham Hall:
        Raynham Hall in Norfolk, England, is reportedly haunted by the ''Brown Lady'', who is identified to be Lady Dorothy Walpole, the sister of Robert Walpole, generally regarded as the first Prime Minister of Great Britain. Raynham Hall became one of the most famous hauntings in Great Britain when photographers from Country Life magazine claimed to have captured the ghost's image. Here's the picture from Country Life magazine reportedly showing a ghost descending the staircase.  

2.)Bhanghar Fort:
     Bhanghar Fort in Rajasthan, India, was built in 1573 and is believed to be one of the most haunted places in the country. It is said that the fort is the home of many spirits. The Archaeological Survey of India, which manages the site, forbids anyone from staying at the fort after dark. 

3.)White house:
     Many stories of The White House being haunted have surfaced in the past. Many spirits, including that of first president John Adams, Abraham Lincoln and Andrew Jackson have been spotted. Winston Churchill, the Prime Minister of the United Kingdom, refused to spend the night after one ghostly encounter.

4.)Edinburgh Castle:
     Edinburgh Castle is said to be one of Scotland’s most haunted sites. The locals believe that the castle is home to a phantom piper, a headless drummer and a spectral dog.

5.)Ancient Ram Inn
         Ancient Ram Inn, in Gloucestershire, England, was built in 1145. The tales of child sacrifices, devil worship, and evil spirits are believed to be behind the terrifying happenings in this building.

6.)Aokigahara
        Aokigahara, a forest at the base of Mount Fuji, has an historic association with demons in Japanese mythology. It is believed to be the second most popular place in the world for suicides. It is believed that the forest is haunted by the spirits of people who commited suicide here.  

7.)Beechworth Lunatic Asylum
        Beechworth Lunatic Asylum, located in Victoria, Australia served as a mental hospital from 1867 until 1995. It is said that this abandoned place is now haunted by spirits of patients who died here.

8.)Castle of Good Hope
       The Castle of Good Hope in Cape Town, South Africa, was built in the 17th century by the Dutch East India Company. Many stories of the place being haunted have come up in the past.

9.)Diplomat Hotel
        Diplomat Hotel, in the Philippines, was used as a monastery. The clergy were executed by the Japanese during WWII and the building was used as a Sanatorium. After the war, it was converted into a hotel. Locals claim that the hotel is haunted and houses ghosts of the people who were executed. 

10.)Dragsholm Slot
         Dragsholm Slot, a castle in Denmark, was were used to house prisoners of noble or ecclesiastical rank in 16th and 17th century. It is said that the castle is haunted by at least three ghosts: a grey lady, a white lady, and the ghost of one its prisoners. 

11.)Hashima Island
         Hashima Island, located 15 km from Nagasaki, was used as a coal mining facility between 1887 and 1974. After petroleum replaced coal throughout Japan in the 1960s, Hashima was abandoned, and is now known as "Ghost Island". 

12.)Dayingpan Village
           Dayingpan Village, known by locals in the surrounding area as "ghost village", used to be the place of exile for lepers, and is now home to around 80 families, including 105 residents still suffering from the disease.  (Reuters/)

13.)Hill of Crosses
            A Catholic pilgrimage site, Hill of Crosses was established in the 1830s. It is thought to contain at least 100,000 crosses and giant crucifixes.  





Thursday, April 17, 2014

ચૂંટણીમાં જા‌તિવાદ અને પ્રાંતવાદના ‌વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ

ક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી) આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો.

આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર્ણ બાદબાકી કરી નાખી. ઊલટું, ભ્રષ્ટાચાર, કાળાબજારી, લાઇસન્સરાજ તથા કૌભાંડો વડે દેશના રાજકારણને ખરડી મૂક્યું. ભ્રષ્ટાચારને રાજકારણનો ભાગ ગણાવી તેને સમર્થન આપનાર સૌપ્રથમ રાજકીય આગેવાન ઇન્દિરા ગાંધી હતાં, જેમનાં માટે વિખ્યાત અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ જાહેરમાં કહેલું કે, 'Indira Gandhi is the fountainhead of all corruption in India'. દેશ પર ઇમરજન્સી લાદી સરમુખત્યારશાહી રાજ ચલાવનાર ઇન્દિરાએ ભ્રષ્ટાચારને એટલી હદે પોષ્યો કે લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર નાબૂદી પહેલી વાર મુખ્ય મુદ્દો બન્યો, જેને આગળ ધરી મોરારજી દેસાઇએ દિલ્લીમાં જનતા સરકાર રચી. દેડકાની પાંચ શેરી જેવી તે સરકારમાં આંતરિક વિખવાદોનો પાર ન હતો, એટલે સરકારનું ટૂંક સમયમાં બાળમરણ થયું. દિલ્લીની ખુરશી પર ત્યાર બાદ ચૌધરી ચરણસિંહ બિરાજ્યા, જેમની પણ સરકાર આંતરિક કાવાદાવા અને સત્તાલોભના વાંકે લાંબો સમય ટકી નહિ. આમ માત્ર ૩ વર્ષના સમયગાળામાં બે સરકારો બદલાઇ. શંભુમેળા જેવી સરકારોના સત્તાપલટાથી ત્રસ્ત બનેલી પ્રજા પાસે બીજો કોઇ રાજકીય આગેવાન નહોતો, એટલે ન મામા કરતાં કહેણો મામો સારો એ ઉક્તિ મુજબ ઇન્દિરા ગાંધીને ફરી દિલ્લીની ગાદીએ બેસવાનો લાભ દેશની પ્રજાએ આપવો પડ્યો. અહીં અન્ડરલાઇન કરવા જેવો મુદ્દો એ કે દેશના નેતાની પસંદગી સિલેક્શનને બદલે મજબૂરીના ધોરણે કરવામાં આવી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ કોઇ પણ જાતની રાજકીય લાયકાત યા પોલિટિકલ મુદ્દા વિના માત્ર સહાનુભૂતિના જોરે વડા પ્રધાન બન્યા. ભ્રષ્ટચારનો દોર તેમણે પણ બોફર્સ કૌભાંડ થકી આગળ ચલાવ્યો, એટલે વી. પી. સિંહે તેમને સત્તામાંથી ઉખાડી નાખવામાં સફળ રહ્યા.
દિલ્લીમાં ત્યાર બાદ એક પછી એક કરીને ઘણી સરકારો બદલાઇ. સત્તાપલટામાં તેમજ સત્તા રચવામાં ભ્રષ્ટાચાર નાબૂદી, હિંદુત્વ, રામમંદિર, જાતિવાદ, પ્રાંતવાદ, ગરીબી હટાઓ વગેરે જેવા મુદ્દાઓ જ કેંદ્રસ્થાને રહ્યા. દેશના આર્થિક, સામાજિક અને ટેક્નોલોજિકલ વિકાસનો મુદ્દો હંમેશાં બાજુએ રહી જવા પામ્યો. લોકસભાની કોઇ ચૂંટણી એ મુદ્દા પર લડાઇ નહિ, કારણ કે વિકાસની ભાષા બોલી શકે અને લોકોના ગળે તે ભાષા શીરાની જેમ સહજતાથી ઉતરાવી શકે તેવા રાજકીય આગેવાનોનો આપણે ત્યાં દુકાળ હતો. આમાં અપવાદ તરીકે નરસિંહ રાવને યાદ કરવા રહ્યા, જેમને દેશના પાતાળમાં ગયેલા આર્થતંત્રને ઉદાર આર્થિક નીતિ વડે નવી ઊંચાઇએ પહોંચાડ્યું. (આ ‘અપરાધ’ કરવા બદલ તેમને ખુદ પોતાની પાર્ટીના સિનિઅર કાર્યકરોએ બહિષ્કૃત કર્યા હતા). સરકારને બાબુશાહી ઢબે નહિ, બલકે કોર્પોરેટ કંપનીની માફક ચલાવી શકાય એનો દાખલો નરસિંહ રાવે બેસાડ્યો, પણ તેમની એ ઉમદા નીતિને આગળ ધપાવવાની દરકાર ત્યાર પછીના કોઇ નેતાએ કરી નહિ. એક મોટું કારણ એ માટે જવાબદાર હતું: ભારતના રાજકારણમાં ધર્મ, જાતિવાદ, પ્રાંતવાદ, પરિવારવાદ જેવા ક્ષુલ્લક મુદ્દાઓ એટલે ઊંડે સુધી પકડ જમાવી ચૂક્યા હતા કે વિકાસને લગતા મૌલિક વિચારોને તેમાં અવકાશ રહ્યો નહોતો. હજી પણ નથી.

આમ છતાં આજે એક નેતાએ નરસિંહ રાવની જેમ વિકાસની ભાષા અપનાવીને રાજકારણમાં સામા પ્રવાહે ઝંપલાવ્યું છે. (રાજકારણમાં વિકાસનું મોડલ કેટલું કારગત નીવડે તેનાં ગુજરાતમાં માનો યા ન માનો જેવાં પ્રેક્ટિકલ ઉદાહરણો તેમણે આપ્યાં છે). માત્ર વિકાસના તેમજ રાષ્ટ્રહિતોના મુદ્દે લોકસભા ચૂંટણી લડાઇ રહી હોવાનું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. ભારતના પરંપરાગત રાજકારણને પચાસ વર્ષે પહેલી વાર સુખદ વળાંક મળી રહ્યો છે. શક્ય છે સુપરપાવર બનવાની આપણી સફરમાં એ જ વળાંક ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય.

Sunday, April 13, 2014

રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રદ્રોહ?


આ દેશમાં રાષ્ટ્રપ્રેમના નામે ઘણી વાર ભયંકર હદની છૂટછાટ લેવાતી હોય છે. ભારતની બહુધા પ્રજાને એ છૂટછાટ અંગે ખ્યાલ નથી અગર તો ખ્યાલ હોવા છતાં તેને એ બાબતે કશી ફિકરચિંતા નથી. બે દાખલા તપાસવા જેવા છે.


(૧) ભારતના કેટલાક સિનામાગૃહોમાં ફિલ્મનો શો શરૂ થતાં પહેલાં આપણા રાષ્ટ્રગીતની ટૂંકી વિડિઓ દર્શાવવામાં આવે છે. એક વિડિઓમાં ભારતના કેટલાક ખ્યાતનામ ગાયકો રાષ્ટ્રગીત લલકારતા દેખાય છે. એક ગંભીર ખામી વિડિઓમાં જોવા મળે છેઃ રાષ્ટ્રગીત લલકારતી વખતે કલાકારો પોતાની બોડી લેંગ્વેજનો છૂટથી ઉપયોગ કરે છે. અર્થાત્ અમુક ગાયકો પોતાના હાથ હવામાં લહેરાવે છે, કેટલાકના ચહેરા પર શાસ્ત્રીય સંગીત ગાતા હોવાના ભાવ પ્રગટ થાય છે, તો લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા કેટલાક ગાયકો તો સ્મિત લહેરાવતા દેખાય છે. ગીત-સંગીતની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો તો પણ રાષ્ટ્રગીતને તે લાગૂ પાડી શકાય નહિ. રાષ્ટ્રગીત એ રાષ્ટ્રગીત છે, સામાન્ય ગીત-સંગીત નથી. દેશની તે ઓળખાણ છે, માટે તેનું ગાયન મોભાદાર રીતે તેમજ પૂરા માન-સમ્માન સાથે થવું જ જોઇએ. ઓર્ડિનરી ગીતની કે ગઝલની માફક તેને ગાઇ શકાતું નથી. ગાયન વખતે તેની મર્યાદા તેમજ મલાજો જળવાવા જોઇએ--અને તેમાં કોઇપણ પ્રકારની છૂટછાટને અવકાશ નથી, છતાં રાષ્ટ્રપેમના નામે છૂટછાટ લેવાય છે. કોઇ એ છૂટછાટ સામે વાંધો કે વિરોધ લેતું નથી.
(૨) બીજો દાખલો ૨૬ જાન્યુઆરી તેમજ ૧પ ઓગસ્ટના દિવસોએ થતા રાષ્ટ્રધ્વજના ખૂલ્લેઆમ અપમાનનો છે. ભારતની પ્રજામાં એ બેય દિવસે ગજબનો રાષ્ટ્રપ્રેમ પેદા થાય છે, જેને પ્રદર્શિત કર્યા વિના તે રહી શકતી નથી. રાષ્ટ્રપ્રેમ જતાવવામાં કશું ખોટું નથી. મુદ્દાની વાત જુદી છેઃ રાષ્ટ્રપ્રેમ માત્ર ૨૬ જાન્યુઆરી અને ૧પ ઓગસ્ટના દિવસોએ જ કેમ એકાએક જાગ્રત થાય છે ? અને માનો કે જાગ્રત થાય છે તો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રપ્રેમનો દેખાડો કરવાની જરૂર શી છે? દેશ માટે કંઇક સારૂં કરી છૂટો (દાખલા તરીકે ગરીબ બાળકોને વિનામૂલ્યે પુસ્તકો કે પછી નોટબૂકો આપો) એ પગલું ધ્વજ લહેરાવવા કરતાં બેશક નક્કર અને ફળદ્રુપ છે. પ્રજાનો ‘રાષ્ટ્રપ્રેમ’ જોતાં સ્વાતંત્રદિને તેમજ પ્રજાસત્તાકદિને આપણા શહેરોના રસ્તા પર પ્લાસ્ટિકના ત્રિરંગા છૂટથી વેચાય છે; છૂટથી ખરીદાય પણ છે--અને તે વાત ગર્વ લેવા જેવી છે. પરંતુ બીજી તરફ ખેદની વાત એ છે કે સવારે જે ઉત્સાહ તેમજ ઉમળકાથી ત્રિરંગો ખરીદવામાં આવ્યો હોય તે સાંજ પડતા રસ્તે રઝળતો (રીપિટ, રસ્તે રઝળતો) જોવા મળે છે. (અહીં એ દ્રશ્યની તસવીર મૂકવા જેટલું પણ મનોબળ એકઠું થઇ શકતું નથી). આ દ્રશ્ય દરેક રાષ્ટ્રપ્રેમીની આંતરડી બાળી મૂકે તેવું છે, છતાં ઘણા ખરા લોકો મૂંગા મોઢે તથા ઠંડા કલેજે એ દ્રશ્ય જોતા રહે છે. જમીન પર પડેલા ત્રિરંગાને ઊઠાવી લેવાની તસ્દી લેવાનુંય તેમને સૂઝતું નથી. રાષ્ટ્રપ્રેમનું આટલું જલદી બાષ્પીભવન કેમ થઇ જાય છે ?

સરેરાશ ભારતીય આજે પોતાના રાષ્ટ્રધ્વજને મુક્તપણે લહેરાવી શકે છે, પણ કેટલાંક વર્ષ પહેલાં એમ કરવું શક્ય નહોતું. નવીન જિન્દલ નામના ઉદ્યોગપતિએ ભારતના દરેક નાગરિકને ધ્વજ લહેરાવવાનો તેમનો મૂળભૂત અધિકાર શી રીતે અપાવ્યો તે વાંચો--

ચોવીસ વર્ષની યુવાન વયે પણ વ્યક્તિ ધારે તો દેશમાં કેટલું મોટું પરિવર્તન આણી શકે તેનો દાખલો નવીન જિન્દલ છે. પરિવર્તન લાવવા માટે જિન્દલે ઘણી મુસીબતો વેઠવી પડી એ પણ ખરૂં. મુસીબતોનો આરંભ સપ્ટેમ્બર ૬, ૧૯૯૪ ના રોજ થયો, જ્યારે મધ્ય પ્રદેશમાં બિલાસપુરના એસ. પી. દૂબે નામના કમિશ્નરે રાયગઢ ખાતે આવેલી નવીન જિન્દલની ફેક્ટરી પર ત્રિરંગો લહેરાતો જોયા બાદ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલી તે ફરજિયાત ઉતરાવ્યો. ત્રિરંગાને કાયદા-કાનૂનનું નહિ, પરંતુ દરેક ભારતવાસીના દેશાભિમાનનું પ્રતીક ગણતા જિન્દલને થયું કે આમ નાગરિક જો ત્રિરંગાને માનભેર અને ગૌરવભેર ફરકાવી ન શકે તો એ રાષ્ટ્રધ્વજ શેનો ? જિન્દલના મતે સરકારે રાષ્ટ્રધ્વજને સરકારી ધ્વજ બનાવી દીધો  હતો. સરકાર તેનાં મકાનો પર અને મોટરો પર ત્રિરંગો લહેરાવે એ ચાલે, પરંતુ Flag Code નામના કાયદા મુજબ નાગરિકોને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટ સિવાયના દિવસોએ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવાની છૂટ ન હતી. હકીકતે એ ‘ગુનો’ સજાપાત્ર બનતો હતો.

દેશના રાષ્ટ્રધ્વજનો મામલો સાધારણ વ્યક્તિને પોતાનો વ્યક્તિગત મામલો ન લાગે, પણ નવીન જિન્દલે તેને પોતાના આત્મગૌરવનો પ્રશ્ન ગણી ફેબ્રુઆરી ૨, ૧૯૯૫ ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં સરકારને પડકારી અને કોર્ટે તેમને રાયગઢની ફેક્ટરી પર ધ્વજ ફરકતો રાખવાની છૂટ આપી. ત્રિરંગા વડે પોતાનું દેશાભિમાન વ્યક્ત કરવાનો તેમનો મૂળભૂત બંધારણીય અધિકાર માન્ય રાખ્યો. સરકાર જાણે કે પોતાની મોનોપોલી છોડવા તૈયાર ન હતી. ફેબ્રુઆરી ૭, ૧૯૯૬ ના દિવસે તેણે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને હાઇકોર્ટના ચુકાદા સામે મનાઇહુકમ મેળવ્યો. આ હુકમના અનુસંધાનમાં નવીન જિન્દલે ફેક્ટરી પરનો રાષ્ટ્રધ્વજ સંકેલી લેવો પડે તેમ હતો, પણ તેઓ મક્કમ રહ્યા. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ચાલુ રાખ્યું. આથી કેન્દ્ર સરકારે તેમની સામે કોર્ટના અનાદરનો નવો કેસ દાખલ કર્યો. આ તબક્કે ભલભલો આંદોલનકાર ઢીલો પડી જાય, પરંતુ જિન્દલ મક્કમ રહ્યા. 

લાંબી અગ્નિપરીક્ષાનો સુખદ અંત જાન્યુઆરી ૨૩, ૨૦૦૪ ના દિવસે આવ્યો, જ્યારે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો. સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ચોપ્પન વર્ષે સાચા અર્થમાં સ્વતંત્ર થયો.

આ ‘સ્વતંત્રતા’ના ભારતની પ્રજાએ મૂળિયાં ચાવી નાખ્યાં છે. દર ૨૬મી જાન્યુઆરીએ તથા ૧પમી ઓગસ્ટે ભારતનો ત્રિરંગો રસ્તાની ધૂળ ખાતો પડ્યો હોય છે. ફ્લેગ કોડની સરેઆમ ઐસીતૈસી થતી રહે છે, છતાં તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. રાષ્ટ્રપ્રેમના નામે સબ ચલતા હૈ!

Saturday, February 8, 2014

Google 3D Graph

A new Google Search WebGL function allows for plotting 3D graphs in search results. This new feature provides an interactive version of Google’s graphing calculator functionality released last December. As Google recently blogged, “Just type any real two variable function into Google to see a dynamic, interactive, three dimensional plot. Click anywhere in the graph to rotate it to check out different angles, or scale the view by zooming in or out, or by editing the range in your equation or in the lower-right legend box.”


Some functions to try:
  1. sqrt(x*x+y*y)+3*cos(sqrt(x*x+y*y))+5
  2. 5000-140*(x*x+y*y)+(x*x+y*y)^2
  3. sin(x^2+y^2)/(abs(x*y)+1) from -2.5 to 2.5
  4. tanh(y(y^4+5x^4-10(x^2)(y^2))/(x^2+y^2)^4)
  5. (x^2+((3 y)/2-(x^2+abs(x)-6)/(x^2+abs(x)+2))^2)-36
  6. sin(5.5x)*cos(5*y)+x*x+1 x is from -1 to 1, y is from -1 to 1, z is from 0.1 to 2.8
  7. 100-3/(sqrt(x^2+y^2))+sin(sqrt(x^2+y^2)), x is from -10 to 10, y is from -10 to 10, z is from 85 to 101
  8. 5 + (-sqrt(1-x^2-(y-abs(x))^2))*cos(30*((1-x^2-(y-abs(x))^2))), x is from -1 to 1, y is from -1 to 1.5, z is from 1 to 6
  9. sqrt(x*x+y*y)+50*tan(sqrt(x*x+y*y))
  10. exp(-((x-4)^2+(y-4)^2)^2/1000) + exp(-((x+4)^2+(y+4)^2)^2/1000) + 0.1exp(-((x+4)^2+(y+4)^2)^2)+0.1exp(-((x-4)^2+(y-4)^2)^2)
  11. sqrt(cos(3*x))*cos(100*y)+1.5*sqrt(abs(x)) + 0.8 x is from -1 to 1, y is from -1 to 1, z is from 0.01 to 2.5
  12. sqrt(x*y+y*y)+3*sin(sqrt(x*x+y*y))+5 from -20 to 20
  13. sqrt(x*x+y*y)+3*tan(sqrt(x*x+y*y))+10
  14. x^2+y^2+x*y*sin(x+y) from -20 to 20
  15. 1/(sin(abs(x)+x)-cos(abs(y)+y))
  16. sin(5.5x)*cos(5*y)+x*x+1